વડાપ્રધાન મોદીએ હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીયોના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો

વડાપ્રધાન મોદીએ હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીયોના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો

એવિયન (ફ્રાન્સ),તા.17:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના એવિયન ખાતે આયોજિત G-7 સમિટના પ્રથમ દિવસે હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીયોના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો. આઉટરીચ સેશનમાં મોદીએ કહ્યું- ઘણા ભારતીય નાગરિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા દેશોને જોડતા નાવિકોની સુરક્ષા આપણી જવાબદારી છે.
મોદીએ કહ્યું કે અમે પશ્ચિમ એશિયામાં શાંતિની દિશામાં થયેલી પ્રગતિનું સ્વાગત કરીએ છીએ. આ સંઘર્ષને કારણે ક્ષેત્રના આપણા મિત્ર દેશોમાં જાનમાલનું નુકસાન થયું છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી થતા દરિયાઈ વેપારમાં અવરોધનો વૈશ્વિક અર્થતંત્ર પર પણ ખરાબ અસર પડી છે.